Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ખંભાળિયામાં શહીદ ભગતસિંહની પ્રતિમા મુકવા રજૂઆત

જામ ખંભાળિયા, તા.૨૬: શહીદ ભગતસિંહની પ્રતિમા શહેરમાં મૂકવામાં આવે તેવી માંગણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્‍ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ સુમિત મકવાણા દ્વારા ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.

ચાર રસ્‍તા, રેલ્‍વે સ્‍ટેશન અથવા નગર ગેઇટ પૈકી કોઇ પણ એક વિસ્‍તારમાં શહીદ ભગતસિંહની પ્રતિમા મૂકવા રજૂઆતમાં જણાવેલ છે.

(10:29 am IST)