Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીના વિસીપરામાં પરિવારે કામ ધંધો કરવાનું કહેતા યુવાનનો પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપધાત

પરિવારજનોએ કામ ધંધો કરવાનું કહેતા લાગી આવતા યુવાને આપધાત કરી લીધો

મોરબીના વિશીપરામાં રહેતા યુવાનને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરામાં રહેતો ગોપાલ માનસિંગ ઓગણીયા (ઉ.૨૦) એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બનાવને પગલે પરિવારજનો અને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો તો બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ વી ડી મેતા ચલાવી રહ્યા છે તો મૃતક યુવાન કામ ધંધો કરતો નાં હોય અને પરિવારજનોએ કામ ધંધો કરવાનું કહેતા લાગી આવતા યુવાને આપધાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી તપાસ અધિકારી વી ડી મેતાએ જણાવ્યું હતું.

(10:55 pm IST)