Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઉનામાં માઁ સરસ્વતી પૂજન અને આરાધના

 ઉના : ગીત -સંગીત -કલા-સાહિત્ય તેમજ ૬૪ કળા અને ૧૪ વિદ્યની દેવી માં સરસ્વતી નાં પૂજન તથા આરાધન પ્રસંગે ઉના સ્થિત ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાનમાં વસંતોત્સવથી ઉજવાયો સંસ્થાન ના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ માં સરસ્વતી તેમજ સંગીત ના વાદ્યોનું પૂજન કર્યા બાદ ગીત-સંગીતની સૂરાવલિ માહોલ સંગીતમય બનાવી દિધું આ પ્રસંગે યુવા પત્રકાર નીરવભાઈ ગઢિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાનનાં નિદેશક ડો.કમલેશ મહેતા દ્વારા નીરવભાઈ ગઢિયા નો સત્કાર અને સમ્માન સાલ ઓઢાડી -સૂતરઆટી- તેમજ કલમ અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ સંસ્થાનાં શ્રીમતી શીતલ મહેતાએ કર્યો. પૂજન અને સન્માનની તસ્વીરો.

(12:38 pm IST)