Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વ્‍યાજના રૂપિયા વસુલવા સગીરનું અપહરણ કરનારાનો પીછો કરી ગોંડલ પોલીસે દબોચી લીધા

પકડાયેલા બગોદરા પંથકના પાંચેય શખ્‍સોને આજે રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા), ગોંડલ, તા.૨૨: વ્‍યાજના રૂપિયા વસુલવા ગોંડલના સગીરનું અપહરણ કરનારાઓનો પીછો કરી પોલીસે ઝડપી લીધા બાદ પકડાયેલ બગોદરા પંથકમાં પાંચેય શખ્‍સોને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરનાર છે.

મળતી વિગતો મુજબ ગોંડલના ભગવતપરા વાછરા રોડ ધારેヘર નગર મા પીતરાઇ ના ઘર પાસે ઉભેલા રાકેશ ઉર્ફ નિતિન ઘનાભાઇ ચૌહાણ નામના સતર વર્ષના સગીરને સ્‍કોર્પીઓ મા ઘસી આવેલા અમદાવાદ ના બાવળા રહેતા મના ભોપા ભરવાડ, લાલાભાઇ ભરવાડ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો એ અપહરણ કરી લઇ જતા બનાવ અંગે પોલીસને જાણ કરાતા પીઆઇ.મહેશ સાંગાડા,પીએસઆઇ ઝાલા,ડીસ્‍ટાફના વિપુલ ગુજરાતી, કે.કે.ચૌહાણ, કુલદીપસિંહ, હાર્દિકભાઇ સહિત ના સ્‍ટાફે નાકાબંધી કરી પીછો કરતા વિછીયા પાસે સ્‍કોર્પીઓ ને ઝડપી લઈ  રાકેશ નો છુટકારો કરાવી મના ભરવાડ સહિત પાંચ શખ્‍સોને જબ્‍બે કરી કલમ ૩૬૩, ૩૬૫, ૩૮૭, ૫૦૬(૨)૧૧૪ નાણા ધિરધાર અધિનિયમ મુજબ ગુન્‍હો દાખલ કરી અપહરણકર્તાની આકરી પુછપરછ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

અપહરણ ની ઘટના અંગે ભગવતપરા નિલમપાર્ક  મા રહેતા રાકેશ ઉર્ફ નિતિન ના પિતા ધનાભાઇ રઘુભાઇ ચૌહાણે સીટી પોલીસ મા કરેલી ફરિયાદ મા જણાવ્‍યુ કે તે અને તેના પત્‍નિ ગામડામા બંગડી કાચકા વેચી પરીવારનુ ગુજરાન ચલાવે છે.પૈસાની જરુર પડતા બે વર્ષ પહેલા પત્‍નિ ના સોનાના દાગીના ગીરવે રાખી બાવળા રહેતા મના ભોપા ભરવાડ પાસેથી પાંચ ટકા વ્‍યાજે રુ.અઢીલાખ લીધા હતા.ઉપરાંત બાવળા ના જ લાલાભાઇ ભરવાડ પાસે થી ચાલીસ હજાર વ્‍યાજે લીધા હતા.બાદ મા કટકે કટકે મના ભરવાડને રૂા.૧,૮૦,૦૦૦ ચુકવ્‍યા હતા.દરમિયાન બન્‍ને પાસે થી દાગીના પરત માંગતા બન્‍નેએ દાગીના ભુલી જા, બાકી નીકળતા પૈસા આપીજા નહીતર મારી નાખીશુ તેવી ધમકી આપી ઉઘરાણી  શરૂ કરી હતી.આમ પઠાણી ઉઘરાણી બાદ ગત રાત્રે નંબર પ્‍લેટ વગર ની કાળા કલર ની સ્‍કોર્પીઓ મા આવી મારા ભત્રીજા ના ઘર પાસે ઉભેલા મારા પુત્ર રાકેશ નુ બાવડુ જાલી સ્‍કોર્પીઓ મા બેસાડી અપહરણ કરી ગયા હતા.ઘનાભાઇએ પુત્રના અપહરણની જાણ થતા તુરંત ભગવતપરામાં રહેતા એડવોકેટ દિનેશભાઈ પાતરને વાત કરતા દિનેશભાઈ પાતરે તુરંત સીટી પીઆઇ સાંગાડા ને બનાવ અંગે વાકેફ કરતા હરકત મા આવેલી પોલીસે તુરંત નાકાબંધી કરી સ્‍કોર્પીઓ આટકોટ તરફ ગયા ની બાતમી ના આધારે પીછો કરી વિછીયા પાસે થી અપહરણ કર્તાઓને દબોચી લીધા હતા. પકડાયેલા બગોદરા પંથકના પાંચેય શખ્‍સોને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. તેમ પી.આઈ. મહેશ સાાંગાડા જણાવ્‍યું હતું.

(1:05 pm IST)