Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરના રાણાવડવાળામાં પૂ.ગિરિબાપુની શીવકથામાં પધારવા ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા પ્રધાનોને રૂબરૂ આમંત્રણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: નજીકના રાણાવડવાળામાં શીવ કથાકાર પૂ.ગિરિબાપુની તા.૩૦મી માર્ચના રોજ શરૂ થઇ રહેલી શીવકથામાં પધારવા માટે શીવકથાના યજમાન દીપકભાઇ ઓડેદરા દ્વારા ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવ્‍યુ હતુ. રાજયના અન્‍ય પ્રધાનોને પણ રાણાવડવાળામાં શીવકથામાં હાજર રહેવા તમામને રૂબરૂ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી.

રાણાવડવાળામાં પૂ.ગિરિબાપુની શીવકથામાં પધારવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા રાજયના પ્રધાનો ભાનુબેન બાબરીયા રાઘવજીભાઇ પટેલ તથા અન્‍ય પ્રધાનોને શીવકથાના યજમાન દીપકભાઇ ઓડેદરા દ્વારા રૂબરૂ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી.

 પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ પૂ.ગિરિબાપુની શીવકથામાં દીપકભાઇ ઓડેદરા રૂબરૂ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. ઉપરાંત ધારાસભ્‍ય હાર્દિક પટેલને શીવકથાનું રૂબરૂ આમંત્રણ અપાયુ છે. રાણાવડવાળામાં દીપકભાઇ ઓડેદરાની દીકરી મનસ્‍વીના જન્‍મદિવસથી પૂ.ગિરિબાપુની શીવકથાનો પ્રારંભ કરાશે.

(12:53 pm IST)