Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલ શ્રી રામજી મંદિરે અન્‍નપૂર્ણા જોળી કાર્યક્રમ

ગોંડલ : શ્રી બ્રહ્મસેવા ટ્રસ્‍ટ ગોંડલ તથા શ્રી રામજી મંદીર ગોંડલ દ્વારા આયોજિત દસમી અન્નપૂર્ણા જોળી નો કાર્યક્રમ શ્રી રામજી મંદિરના ગાદીપતિ શ્રી પરમ પૂજય જેરામદાસજી બાપુની અધ્‍યક્ષતામાં શ્રી પરમ પૂજય ૧૦૦૮ દેવસ્‍વરૂપ સ્‍વર્ગીય શ્રી હરિચરનદાસજી બાપુની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રી રામજીમંદિર ખાતે આર્થિક નબળા ૧૦૧ બ્રહ્મ પરિવારોને રાશનકીટ આપવાનો કાર્યક્રમ તારીખ ૧૮.૩.૨૦૨૩.ના રોજ રાખવામાં આવેલ હતો આ પ્રસંગ માં રામજી મંદિર ના ટ્રસ્‍ટી શ્રી કિશોરભાઈ ઉનડકટ, શ્રી બીપીનભાઈ ભટ્ટ,તેમજ બ્રહ્મ સેવા ટ્રસ્‍ટ ગોંડલમાં શ્રી અજયભાઈ રાવલ. કિશોરભાઈ દવે, રજનીભાઇ પંડ્‍યા,મનીષભાઈ જોશી,યશવંતભાઈ રાવલ, પરેશભાઈ ભટ્ટ,દીપેન્‍દ્રભાઈ ઠાકર,રજનીકાંત પંડ્‍યા અતુલભાઈ શુકલ, વિરાજભાઈ વ્‍યાસ, વિશાલ જોશી વગેરે ગોંડલના બ્રહ્મ આગેવાનો વિશાળ સંખ્‍યા હાજર રહીને ખુબજ સુંદર રીતે કાર્યક્રમ સંપન્ન કરેલ હતો. શ્રી મહીરાજ બજરંગબલી ટ્રસ્‍ટ રીબડાના ટ્રસ્‍ટી શ્રી અનિરુધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા ૫૧ અન્નપૂર્ણા જોળી આર્થિક નબળા બ્રહ્મ પરિવારોને પોતે જીવે ત્‍યાં સુધી આપવાની જાહેરાત કરી હતી. (તસ્‍વીર-અહેવાલ : અશોક જોષી-ગોંડલ)

(12:07 pm IST)