Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરમાં સિધ્‍ધેશ્વર મહિલા સત્‍સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ

પોરબંદર,  તા., રરઃ સિહેશ્વર મહિલા સત્‍સંગ મંડળ દ્વારા આગામી તા. ર૬ માર્ચ થી તા. ર એપ્રિલ સુધી વૃંદાવન ધામ હાઉસીંગ કોલોની સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિર પરીસર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.

રાણા કંડોરણાના વિદ્વાન શાષાી શ્રી પંકજ ભાઇ એમ.જોષીના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં શાષાીજી પોતાની મધુર વાણીમાં સંગીત સાથે કૃષ્‍ણચન્‍દ્ર પ્રભુની જ્ઞાનગંગાનું રસપાન કરાવશે.

સિધ્‍ધેશ્વર મંદિરના પરીસરમાં યોજાનાર શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહના અવસરે રવિવાર તા.ર૬મીએ બપોરે ૩.૩૦ પોથીયાત્રા નીકળશે જે શહેરમાં વિવિધ માર્ગો પર ફરીને કથા સ્‍થળે પહોંચ અને કથાનો પ્રારંભ થશે.

પ્રવકતા પંકજભાઇ જોષી શ્રીમદ ભાગવત કથાનું રસપાન તા.ર૭ સોમવાર સાંજ ૬ વાગ્‍યે થશે. જેમાં ધંધુકાન્‍ત મોક્ષ તા.ર૮ મંગળવાર બપોરે ૪.૩૦ કપીલ ચરિત્ર તા.ર૯ બુધવારે સાંજે ૬ વાગ્‍યે નૃસિ઼હ પ્રાગટય, તા.૩૦ ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે વામન જન્‍મ અને બપોરે ૧ર વાગ્‍યે શ્રી રામજન્‍મ સાંજે ૬ વાગ્‍યે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ (નંદભયો) તા.૩૧ શુક્રવાર સાંજે ૬ છાગ્‍યે ગોવર્ધન પુજા અન્નકુટ તા.૧-૪-ર૩ ને શનિવારે સાંજે પ રૂક્ષ્મણી વિવાહ તા. ર-૪ રવિવારે સવારે ૧૦ વાગ્‍યે સુદામાચરિત્ર અને બપોરે ૧ર વાગ્‍યે પરીચીત મોક્ષ નો સમાવેશ થયો છે.

કથા શ્રવણનો સમય સવારે ૯.ઘ૦ થી ૧ર.૩૦ અને સાંજે ૩.૩૦ થી ૬.૩૦ રહેશે. સિધ્‍ધેશ્વર મંદીરના ટ્રસ્‍ટી જગદીશભાઇ પટેલ, મિત્ર મંડળના પ્રમુખ દેવાભાઇ ગાગલીયા તથા મહિલા મંડળના વેજીબેન કેશવાલા તેમજ મહીલા સત્‍સંગ મંડળની બહેનો તેમજ મિત્ર મંડળના સેવા કર્મી ભાઇ બહેનો જહેમત ઉઠાવી રહયા છે.

(11:46 am IST)