Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

થાનગઢ પાંજરાપોળના પશુઓને મિસ્‍ટ ભોજન માટે આચાર્ય ભગવંતની ટહેલથી બે લાખનું અનુદાન

ચોટીલા તા.૨૨: થાનગઢ શહેરમાં લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.આચાર્ય ભગવંત ડો.પ્રકાશચંદ્રજી સ્‍વામી આદિ થાણા ૭ તથા પૂજય ઝરણાબાઈ મહાસતીજી આદિ થાણા ૮ શેષ કાળ માટે થાનગઢ સ્‍થાનકવાસી જૈન સંઘમાં પધારેલ હતા.

જેમાં ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી મહારાજ દ્વારા થાનગઢ પાંજરાપોળના પશુઓને મિસ્‍ટ ભોજન કરાવવા માટેની ટહેલ થાનગઢ જૈન સંઘમાં નાખેલ હતી.જે ટહેલ પૂરી થઈ જતા ગુરુદેવશ્રી પ્રકાશચંદ્રજી મહારાજ તથા સ્‍થાનકવાસી જૈન સંઘના કાર્યકરો, સભ્‍યો, સાથે અન્‍ય સમાજના સેવકો દ્વારા થાન પાંજરાપોળની મુલાકાતે પધાર્યા હતા. પાંજરાપોળના તમામ હોદ્દેદારશ્રીઓ, સભ્‍યશ્રીઓ, કાર્યકરોએ ગુરુદેવના વંદનનો લાભ લીધો હતો. ગુરૂદેવ આગમન પ્રસંગે જૈન સંઘ દ્વારા પાંજરાપોળને રૂપિયા બે લાખ જેવું અનુદાન પણ અર્પણ કરવામાં આવેલ હતું. (તસવીર - હેમલ શાહ)

(10:22 am IST)