Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ધોરાજીમાં યુથ હોસ્‍ટેલ એસોસિએશન દ્વારા ચકલી માળાનું વિતરણ

ધોરાજી : ધોરાજીના જેતપુર રોડ ખાતે આવેલ આર્સેનિક નેચરલ એન્‍ડ ઓર્ગેનિક બજાર ખાતે વિથ હોસ્‍ટેલ એસોસિએશન દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. હોસ્‍ટેલ એસોસિએશનના વિનુભાઈ ઉકાણીએ જણાવેલ કે યુથ હોસ્‍ટેલ એસોસિએશન દ્વારા વિનામૂલ્‍યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્‍યું છે જેનો વધુમાં વધુ લોકો લાભ લઈએ અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીને સાચવવાની આપણી સૌની ફરજ છે એ ભાવથી દરેક પોતપોતાના ઘર સુધી માળા રાખે તે અંગે ખાસ વિનંતી કરી હતી.  હોસ્‍ટેલ એસોસિએશનના વિનુભાઈ ઉકાણી, ધોરાજી ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ  લલિતભાઈ વોરા,  અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી અને યુથ હોસ્‍ટેલ એસોસિએશનના આજીવન મેમ્‍બર કિશોરભાઈ રાઠોડ, યુથહોસ્‍ટેલ એસોસિએશનના મિલનભાઈ પટેલ વિગેરે દ્વારા ચકલીના માળાનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. ચકલી માળા  વિનામૂલ્‍યે મેળવવા માટે ધોરાજીના જેતપુર રોડ ખાતે આવેલ આર્સેનિક નેચરલ એન્‍ડ ઓર્ગેનિક બજાર ખાતે ૧૦૦૦ ચકલીના માળા વિનામૂલ્‍ય આપવામાં આવશે.(તસવીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(10:08 am IST)