Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દામનગરની આસોદર પ્રાથમિક શાળાના શિક્ષકની અચલા એવોર્ડ માટે પસંદગી

દામનગર : અચલા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અમદાવાદના ઉપક્રમે ગુજરાતમાંથી પ્રાથમિક વિભાગમાંથી ૬ અને માધ્‍યમિક વિભાગ માંથી ૪ એમ કુલ ૧૦ શ્રેષ્ઠ  શિક્ષક  એવોર્ડ  અને અન્‍ય  ૧૦ સારસ્‍વત એવોર્ડ માટે પસંદ  થયેલ  પ્રતિભાવંતોની પસંદગી કરવામાં આવી હતી. અચલા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ છેલ્લા ૨૧ વર્ષ થી દર વર્ષે આવા શિક્ષકોનું સન્‍માન  કરે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરના પ્રતિભાવંત શિક્ષકોના ડેટા કલેક્‍શન  કરી તેના આધારે શ્રેષ્ઠ કાર્યનેપસંદ કરવામાં  આવેલ. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની આસોદર  પ્રાથમિક  શાળાના શિક્ષક  સુરેશ ભાઈ નાગલાની પસંદગી કરવામાં આવી અને તેમણે કરેલા શ્રેષ્ઠતમ કાર્ય બદલ પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ  કોવિંદજી અને પૂર્વ  મુખ્‍ય  સચિવ પી.કે.લહેરીજીના વરદ હસ્‍તે  એવોર્ડ  એનાયત કરવામાં આવ્‍યો હતો.અને તેમણે કરેલ ઉત્તમ કાર્યની નોંધ લઈ તેની પ્રશંસા સાથે અભિનંદન પાઠવ્‍યા હતાં.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(10:05 am IST)