Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આટકોટ ભુદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા એડવોકેટ ઉદયનભાઈનું સન્‍માન

આટકોટ : ભુદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અમરેલીનાં બ્રહ્મ સમાજના તેમજ એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદીએ ત્રણ વર્ષની દિકરી ઉપર બળાત્‍કાર અને હત્‍યાનાં કેશમાં કોઈ પણ ફી લીધા વગર આરોપીને સજા આપવામાં આવી હતી તે બદલ ભુદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં ચેતનભાઈ પંચોલી પંકજભાઈ ચાવ, પ્રભાતભાઈ કોઠીવાળા, સહિત બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ બહેનો દ્વારા ઉદયનભાઈનું શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બ્રહ્મષિ સંસ્‍થા નવાગામનાં ટ્રસ્‍ટી છે તેમણે ત્રણ વર્ષની દીકરીના કેસમાં સ્‍પેશિયલ પીપી તરીકે રહે ફક્‍ત એક ભાઈ વીટનેશ નજરે જોનારા સાક્ષીના સહારે આરોપીને આજીવન જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરાવીને ભોગ બનનારને ખરા અર્થમાં ન્‍યાય અપાવેલ છે. આ કાર્યક્રમમાં ભૂદેવો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉદયનભાઈનું મહિલાઓ પણ સન્‍માન કર્યું હતું. તથા ગળહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:02 am IST)