Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જૂનાગઢ પુષ્ટિ સંપ્રદાયના પૂ. વિઠ્ઠલનાથજી મહારાજ નિત્યલીલામાં પધારતા વૈષ્ણવો શોકમગ્ન

સૌરાષ્ટ્ર-દેશભરમાંથી વૈષ્ણવો જૂનાગઢ આવવા રવાના-અંતિમ દર્શન માટે વૈષ્ણવો ઉમટયા

જૂનાગઢઃ જૂનાગઢ પુષ્ટિ સંપ્રદાયના પૂ. પાદ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ (ઉ.વ. ૭૧) નિત્ય લીલામા પધારતા વૈષ્ણવો શોક મગ્ન થયા છે. મહારાજશ્રીનાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા છે

 જૂનાગઢ તા. રરઃ જૂનાગઢ પુષ્ટિ સંપ્રદાયના પૂ. પાદ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ (ઉ.વ. ૭૧) નિત્ય લીલામા પધારતા વૈષ્ણવો શોક મગ્ન થયા છે. મહારાજશ્રીનાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા છે.

અહિં દાણાપીઠમાં આવેલ શ્રી વિઠ્ઠલેશ ભુવન હવેલીનાં ૧૦૦૮ પૂ. પાદ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજની તબિયત તાજેતરમાં લથડતા તેઓ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

દરમ્યાન આજે વહેલી સવાર મહારાજશ્રી નિત્ય લીલામાં પધારતા વૈષ્ણવોમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

પૂ. પાદશ્રી વૃજભુષણ લાલજી મહારાજશ્રીનાં લાલશ્રી વિઠ્ઠલનાથજી મહારાજ નિત્ય લીલામાં પધાર્યા હોવાના સમાાર મળતાં સૌરાષ્ટ્ર અને દેશભરમાંથી વૈષ્ણવો જૂનાગઢ આવવા રવાના થઇ ગયા.

જૂનાગઢમાં દાણાપીઠ સ્થિત હવેલી ખાતે પૂ. શ્રી વિઠ્ઠલનાથજી મહારાજનાં અંતિમ દર્શન સવારનાં ૧૧ થી ૧ દરમ્યાન રાખવામાં આવેલ. આથી સંખ્યામાં વૈષ્ણવો મહારાજશ્રીનાં અંતિમ દર્શન માટે ઉમટી પડયા છે.

(4:03 pm IST)