Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મોરબીની ટોકીઝમાં ફિલ્મ 'પદ્માવત' રીલીઝ નહિ થાય

કરણી સેનાએ કરેલી બેઠક બાદ થિયેટર સંચાલકોનો નિર્ણય

મોરબી તા. ૨૦ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો વિવાદ હજુ યથાવત છે સુપ્રીમ કોર્ટે વિવિધ રાજયોના પ્રતિબંધને હટાવી લીધા છતાં કરણી સેના ફિલ્મ રીલીઝ ના થાય તે માટે કટિબદ્ઘ છે જે અંતર્ગત મોરબી જીલ્લા કરણી સેના દ્વારા થીયેટર સંચાલકો સાથે બેઠક યોજી હતી અને ફિલ્મ રીલીઝ ના કરવાની અપીલને થીયેટર સંચાલકો પણ આવકારી રહ્યા છે.

કરણી સેના પ્રમુખ વિજયસિંહ ચુડાસમાએ જણાવેલ કે, માત્ર રાજપૂત નહિ પરંતુ વિવિધ સમાજના લોકો તેમની સાથે છે ત્યારે વિવાદને પગલે ફિલ્મ રીલીઝ ના કરવાનો થીયેટર સંચાલકોએ પણ નિર્ણય કર્યો છે. મોરબીના થીયેટર સંચાલક કિશોરભાઈ હિરાણીએ પણ કહ્યું હતું કે કરણી સેના દ્વારા કરેલી માંગણીને તેઓ સહકાર આપે છે અને ફિલ્મ રીલીઝ ના કરવાનું નક્કી કર્યું છે.

(12:32 pm IST)