Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરમાં WHO ના સહયોગથી સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામની આકાર પામા કેન્‍દ્ર વિશ્‍વ ફલક પર નામના મેળવાશે : પ્રધાનમંત્રીશ્રી મોદીએ GTCMનું ખાતમુહુર્ત કર્યુ

જામનગર જામનગર ખાતે WHOના સહયોગથી પ્રાચીન ચિકિત્સા દવાઓના કેન્દ્રની સ્થાપના થવા જઇ રહી છે.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામથી આકાર પામનારુ આ કેન્દ્ર જામનગર જ નહીં પણ વિશ્વ ફલક પર એક નામના મેળવશે વિશ્વભરના મોટાભાગના દર્દીઓ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ GCTMનું ખાતમૂહુર્ત કર્યું હતું.

WHOના સહયોગથી બની રહેલા આ કેન્દ્રમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ,ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના ડીજી (મહાનિર્દેશક) ડૉ.ટ્રેડ્રોસ , કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ તેમજ રાજ્યકક્ષાનામંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડરો હાજર રહ્યા હતા.

Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્‌ હસ્તે જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ભૂમિપૂજન. https://t.co/L5iVZ4Kp6Z

ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને પ્રધાનમંત્રી મોદીની આરોગ્ય પ્રત્યેની દીર્ઘદ્રષ્ટીના વખાણ કર્યા હતા. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ GCTMના આ કાર્યક્રમમાં વીડિયો સંદેશ દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર: ડૉ.ટ્રેડ્રોસે, WHO ચીફ
WHOના મહાનિર્દેશક ડૉ.ટ્રેડ્રોસે સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી. અને કહ્યું હતું કે નમસ્કાર કેમ છો બધા..ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી, મારે ભારત સાથે જૂનો નાતો છે, મને હાઈસ્કૂલમાં ભારતીય શિક્ષકોએ શિક્ષણ આપ્યું, બોલિવૂડ ફિલ્મો જોઈને જ હું મોટો થયો છું.GCTMની મદદથી વિશ્વને અનેક ફાયદાઓ થશે. આ કામ માટે મોદી અને તેમની સરકારને ધન્યવાદ આપું છું. પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર છે, આ કામ માટે તમારો ધન્યવાદ. ભારત દુનિયાને દવા પહોંચાડશે અને દુનિયાભરના દેશો હવે ભારત આવશે

PM મોદીએ સંબોધનમાં શું કહ્યું સાંભળો

રાજવી પરિવાર સાથે મુલાકાત

જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપણે જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.

GCTMની ખાસિયત શું છે?

  • વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • જામનગરથી ખંભાળીયા હાઇે પર ગોરધનપર ગામ નજીક સેન્ટર
  • 35 એકરની જગ્યામાં સાકાર થશે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • 250 બિલિયનના ખર્ચે બનશે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • ભારત ઉપરાંત 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન પર રિસર્ચની કામગીરી કરાશે
  • 2024માં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનીને થશે તૈયાર
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને બનાવવામાં WHOની મોટી ભૂમિકા
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર WHO સાથે સંલગ્ન રહેશે
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર WHOની દેખરેખમાં રહેશે
  • પરંપરાગત દવાઓને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતોને નેતૃત્વ પુરૂ પાડશે
  • દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની ખાતરી મળશે

ત્યારે આ કેન્દ્રમાં WHO સાથે સંકળાયેલ 140 ઉપરાંત દેશની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનો સમન્વય કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો વધુ ફેલાવો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી પહેલાથી જ ઉપલબ્ધ છે ત્યારે આ પહેલથી આગામી સમયમાં ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ વિશ્વમાં ખ્યાતી મેળવશે.

જામનગરના મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસ ખાતે અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જામનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જો કે, સમગ્ર મુલાકાત મામલે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાનગી સૂત્રો દ્વારા વધુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. નોંધનીય છે કે, આજે અંબાણી પરિવારના મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ છે.

(9:51 pm IST)