Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નરેન્દ્રભાઈ મોદી જામસાહેબને મળવા બંગલે પહોîચ્યાઃ ખબર અંતર પૂછ્યાઃ સર્કિટ હાઉસમાં મુકેશ અંબાણી અને આકાશ અંબાણીઍ વડાપ્રધાન સાથે મુલાકાત કરી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બપોરે આગમન થયા બાદ તેઓ સીધા જ જામસાહેબને મળવા તેમના બંગલે ગયા હતા. જામસાહેબ શત્રુશૈલ્યસિંહજી સાથે મુલાકાત કરીને તેઅોની ખબર અંતર પૂછી હતી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા - વિચારણા કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સર્કીટ હાઉસ ખાતે પહોîચ્યા ત્યારે મુકેશ અંબાણી અને આકાશ અંબાણી તેમને મળવા માટે સર્કિટ હાઉસ ખાતે પહોîચ્યા હતા. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:35 pm IST)