Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં પત્રકારો માટે વ્‍યવસ્‍થાનો અભાવ : ભારે નારાજગી : કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા

તસ્‍વીરમાં કાર્યક્રમ સ્‍થળે પત્રકારો રોષ ઠાલવતા નજરે પડે છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

રાજકોટ, તા. ૧૯ : આજે જામનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી, મોરેશિયસના વડાપ્રધાન તથા ડબલ્‍યુ.એચ.ઓ.ના ડાયરેકટરના અધ્‍યક્ષતામાં ગ્‍લોબલ સેન્‍ટરલ ફોર ટ્રેડિશનલ મેડીસીનનો શીલાન્‍યાસ વિધી કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં પત્રકારો માટે કોઇ વ્‍યવસ્‍થા ન કરાતા ભારે નારાજગી ફેલાય છે.
કાર્યક્રમ સ્‍થળે જવા માટે પણ કોઇ વ્‍યવસ્‍થા કરવામાં આવી નથી તેમજ ભોજનની સુવિધા પણ પત્રકારોને આપવામાં આવી નથી. સાંજે પ વાગ્‍યા પછી હળવો નાસ્‍તો આપવામાં આવશે તેમ જણાવાયું છે.
વડાપ્રધાનના કાર્યક્રમ માટે મોટી સંખ્‍યામાં પત્રકારો જામનગર આવ્‍યા છે ત્‍યારે તેમની માટે કોઇ વ્‍યવસ્‍થા ન થતા દેકારો મચી ગયો છે. દરમિયાન કાર્યક્રમ સ્‍થળે આયુષ વિભાગ મંત્રાલયના એડવાઇઝર સંજય દેવ આવતા પત્રકારોએ તેમને ઘેરી લેતા હતા અને અવ્‍યવસ્‍થા મુદ્દે રજુઆત કરી હતી. અંતે કોઇ વ્‍યવસ્‍થા ન થતા પત્રકારો કાર્યક્રમ સ્‍થળેથી બહાર નીકળી ગયા હતાં.

 

 

(3:03 pm IST)