Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મેંદરડાના ખાખી મઢી રામજીમંદિરે ગુરૂવારથી શ્રી રામપારાયણ જ્ઞાનયજ્ઞ

પૂ.સુખરામદાસજી બાપુના સાનિધ્‍યમાં કથાનું આયોજન ૨૯મીએ પૂર્ણાહુતિ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯ : મેંદરડા ખાખી મઢી રામજીમંદિરે ખાતે મહંતશ્રી સુખરામદાસજી ગુરૂશ્રી રામકિશોરદાસજીબાપુ દ્વારા આગામી તા. ૨૧ને ગુરૂવારથી ૨૯ને શુક્રવાર સુધી શ્રીરામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

જેમાં દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૭ કલાક સુધી શાષાી જીજ્ઞાસાબેન પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે આ કથા દરમ્‍યાન શ્રી રામજન્‍મ તેમજ શ્રી સીતારામ વિવાહ રામ પાદુકા પૂજન રામેશ્વર પૂજન સહિતના પ્રસંગોન ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવશે તો સર્વે ધર્મપ્રેમીજનતાને કથા શ્રવણનો લાભ લેવા પૂ.સુખરામદાસજી બાપુ અને સેવક પરિવારે જાહેર નિમંત્રણ પાઠવ્‍યુ છે.

(4:26 pm IST)