Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જોડિયા રામવાડીમાં હોમાત્‍મક યજ્ઞ

 વાંકાનેરઃ જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ શ્રી ઉદાસીન સંત કુટિર, રામવાડી આશ્રમ ખાતે આજરોજ શ્રી જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સાનિધ્‍યમાં સવાર થી બપોર સુધી સૌ ભાવિક ભક્‍તજનો દ્વારા સામુહિકમાં પ્રત્‍યેક ચોપાઈ દ્વારા ૅ સુંદરકાંડ ૅ નો પંચમુખી હોમાત્‍મક યજ્ઞ યોજાયેલ છે જે યજ્ઞનો શુભ પ્રારંભ સવારે થયેલ હતો આ ઉપરાંત શ્રી હનુમાન જ્‍યંતીના પાવન પુણ્‍યશાળી દિવ્‍ય અવસરે સવારે સાત કલાકે શ્રી જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું વિશેષ પૂજન અર્ચનવિધિ કરવામાં આવેલ જે પૂજનવિધિ રામવાડીના અનન્‍ય ભક્‍તજન હિરેનભાઈ વડેરાએ કરેલ હતી તેમજ શ્રી ભરતભાઈ જાનીએ શાષાોકવિધિ મત્રોચાર સાથે ભકિતમય માહોલ વચ્‍ચે શ્રી જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની પૂજા કરાવેલ હતી બપોરે બાર કલાકે ઢોલ, નગારા સાથે દાદાની દિવ્‍ય ભવ્‍ય મહાઆરતી તેમજ સાંજે દીપમાળાની આરતી કરવામાં આવી હતી.

(1:38 pm IST)