Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમરેલી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ૬૬૪.૯૫ લાખના હસ્‍તે કામો કરાશે

નારણભાઇ કાછડીયા, કૌશિકભાઇ વેકરીયા, નરેન્‍દ્રભાઇ ફીંડોળીયા સહિતનાનાં સફળ પ્રયાસોT

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: રાજય સરકારના જળ સંસાધન વિભાગની મહત્‍વકાંક્ષી ‘સુજલામ સુફલામ જળ અભિયાન' યોજના હેઠળ નદીઓને પુનઃ જીવીત કરવા માટે દર વર્ષે તળાવો ઉંડા ઉતારવા, હયાત જળાશયોને ડીસીલ્‍ટીંગ અને રીપેરીંગ, પાણીની નહેરોની સફાઈ - સમારકામ અને જાળવણી, નદીઓ-તળાવોની સફાઈ જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. ત્‍યારે આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન-ર૦રર અંતર્ગત અમરેલી જીલ્લામાંથી ટ્રસ્‍ટો અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીઓ અને અઘ્‍યક્ષશ્રી, સુજલામ સુફલામ જળ અભિયાન, અમરેલી તફરથી કરવામાં આવેલ દરખાસ્‍ત અન્‍વયે ઉચ્‍ચ કક્ષાએથી મંજુરીમાં થઈ રહેલ વિલંબ બાબતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન નરેન્‍દ્રભાઈ ફીંડોળીયાએ રાજય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને અસરકારક રજૂઆત કરતા સરકારશ્રી તરફથી સુજલામ સુફલામ જળ અભિયાન-ર૦રર ને મંજુરી આપવામાં આવેલ છે.

જીલ્લામાં આવનાર દિવસોમાં વિવિધ વિભાગોના કામો અંગર્તત જળ સંપતિ વિભાગના ૮૯ કામોની અંદાજિત રકમ રૂા. ૧૯૧.૩ર લાખ તથા વિવિધ લાઈન ડીપાર્ટમેન્‍ટ જેમકે જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના કુલ પર૭ કામોની અંદાજિત રકમ રૂા. ૩૮૮.પ૦ લાખ, વોટરશેડ વિભાગના કુલ ૪૦ કામોની અંદાજિત રકમ રૂા. ૩૪.ર૩ લાખ, પાણી પુરવઠા વિભાગના કુમલ ૩૦ કામોની અંદાજિત રકમ રૂા. પ.પ૯ લાખ તેમજ નગર પાલીકાના ૬પ કામોની અંદાજિત રકમ રૂા. ૪પ.૩૧ લાખ એમ કુલ ૭પ૧ કામોની અંદાજિત રકમ રૂા. ૬૬૪.૯પ લાખના કામો હાથ ધરવામાં આવશે.

માટીનો ઉપયોગ નજીકના વિસ્‍તારોમાં અને ખેડૂતો તેમના ખેતરોમાં કોઈપણ પ્રકારની રોયલ્‍ટી ચૂકવ્‍યા વિના કરી શકે છે તેમજ ટ્રસ્‍ટો ૬૦ શ ૪૦ ના રેશીયા પ્રમાણે માટી ઉપાડી શકે છે. તેથી જીલ્લામાં હજુ પણ કોઈ ખેડૂત કે ટ્રસ્‍ટ સુજલામ સુફલામ જળ અભિયાન-ર૦રર અંતર્ગત અરજી કરવામાં બાકી રહી ગયેલ હોય તો તેઓએ તાત્‍કાલીક અરજી કરી મંજુરી મેળવી લેવા સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી નરેન્‍દ્રભાઈ ફીંડોળીયાએ અપીલ કરેલ છે.

(1:32 pm IST)