Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સાવરકુંડલા : કોળી સમાજના પટેલ મનહરભાઇ બારૈયા અને યુવાનો દ્વારા જાફરાબાદથી દ્વારકા પદયાત્રા દ્વારા દ્વારકાધીશના દર્શને

(ઈકબાલ ગોરી દ્વારા)  સાવરકુંડલા તા.૧૯:  જાફરાબાદ કોળી સમાજના પટેલ તથા બજરંગદળના યુવા પ્રમુખ  મનહરભાઈ બારૈયા સહિતના ૧૬ વ્‍યક્‍તિ જાફરાબાદ થી દ્વારકા સુધી પદયાત્રા દ્વારા દ્વારકાધીશના દર્શન માટે યાત્રા કાઢી જવા માટે નીકળી ગયા છે જેમાં જાફરાબાદથી દ્વારકા પગયાત્રા છેલ્લા ૧૨ વર્ષથી સતત પદયાત્રા રૂપે દ્વારકા જતા હોય છે જ્‍યારે આ પદયાત્રાનું રસ્‍તા માં ઠેર ઠેર લોકો ઠંડા પાણી સરબત વિગેરે સ્‍વાગત કરતા હોય છે આ પદયાત્રા ની આગેવાની કોળી સમાજના પટેલ અને બજરંગદળ ના યુવા પ્રમુખ મનહરભાઈ બારૈયા, મુકેશભાઈ શિયાળ, ભરત ભાઈ. વિનયભાઈ, લખનભાઈ, બીજલભાઈ, વિઠ્ઠલભાઇ, રોહિતભાઈ, કરણભાઈ, ઉમેશભાઈ, અજયભાઈ, પરેશભાઈ, કિશનભાઈ, જગદીશભાઈ, નરશીભાઈ, લાલભાઈ વિગેરે ૧૬ યુવાનો દ્વારકાધીશના દર્શનાથે પદયાત્રામાં જોડાયા હતા.

(1:25 pm IST)