Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભાયાવદરમાં સર્વરોગ નિદાન કેમ્‍પનો ૬૧૪ દર્દીઓએ લાભ લીધો

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર તા. ૧૯ :.. શ્રી માનવ સેવા ટ્રસ્‍ટ અન્નક્ષેત્ર ઉપલેટા તથા ઉમીયા પરિવાર સમિતિ ભાયાવદર દ્વારા એચ. એલ. પટેલ કોલેજમાં સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયેલ હતો. આ કેમ્‍પનું ઉદઘાટન ભાણજીભાઇ કુંડારીયા તથા ગીરીશભાઇ સીણોજીયાએ દીપ પ્રગટાવી કરેલ હતું. આ કેમ્‍પના નામાંકિત ડો. એ સેવા આપેલ હતી.

આ કેમ્‍પમાં ૬૧૪ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ ફ્રી માં આપેલ હતી. આ કેમ્‍પમાં કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટ વિપુલભાઇ માઢડીયા, ભાયાવદરના સામાજીક આગેવાન ડો. એ. જી. પટેલ, ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા, આ કેમ્‍પમાં ભોજન પ્રસાદી યુ. એસ. એ. ના વંદનાબેન મરસોણીયા તરફથી રાખેલ હતી. આ કેમ્‍પને સફળ બનાવવા હિરેનભાઇ વેગડા તથા તેની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

(11:51 am IST)