Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ અને જીલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ચોટીલા ખાતે મેગા આયુષ નિદાન-સારવાર કેમ્‍પ

ચોટીલા : ચોટીલા શહેરમાં ચામુંડા માતાજી યુવા ગૃપના સહયોગથી જીલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા યોજાયેલ મેગા આયુષ નિદાન સારવાર કેમ્‍પ માં જુદી જુદી ચિકિત્‍સા પધ્‍ધતિનો મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લઈ કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ગુજરાત રાજય તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન થી આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત સુરેન્‍દ્રનગર અને ચામુંડા માતાજી ગ્રુપ ચોટીલાના સંયુક્‍ત ઉપક્રમે સોમવારના ચોટીલા ખાતે પોપટપરા મા આવેલ કોમ્‍યુનિટી હોલમાં જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ મેરભાઈ ખાચર, સુરેશ ધરજીયા, વિનુભાઇ સાકરીયા, ભુપતભાઈ ધાધલ, ડો. કલ્‍પનાબેન ગોહિલ સહિતનાએ દિપ પ્રાગટય કરી કેમ્‍પ ખુલ્લો મુકયો હતો. શહેર તેમજ તાલુકાનાં આશરેᅠ ૨૩૦ થી વધુ દર્દીઓને આયુર્વેદ નિદાન, ૪૦૦ જેટલા નાગરીકોએ ઉકાળા વિતરણનો, તેમજ સંશતિ વટી, અગ્નિકર્મ , અને હોમિયોપેથીક સારવાર ૧૦૦ જેટલા વ્‍યક્‍તિઓએ લાભ લીધેલ હતો. નગર પાલિકા ચીફ અને વિસ્‍તારના ચુટાયેલ સદસ્‍યો એ કેમ્‍પની ખાસ મુલાકાત લીધી હતી. મોટી સંખ્‍યામાં કેમ્‍પમાં આવેલ લોકોએ વનસ્‍પતિ ચાર્ટ પ્રદર્શન ,ᅠ સ્‍વસ્‍થવૃત લેક્‍ચર સાથે યોગ વિશે માહિતગાર કરવામાં આવેલ.કેમ્‍પમાં જીલ્લા આર્યુવેદ વિભાગના ડોકટરો એ સેવા આપેલ કેમ્‍પ ને સફળ બનાવવા શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપના મોહસીનખાન પઠાણ, ફૈઝલ વાળા, તમામ સભ્‍યો એ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : હેમલ શાહ-ચોટીલા)

(11:46 am IST)