Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મોરબીના ખાનપરમાં ખેતરના કામ મામલે ભાઇને સાથે ઝઘડો થતાં સુનિતાનો આપઘાત

મુળ એમપીની ૧૬ વર્ષની બાળાએ ૩ દિવસ પહેલા ફાંસો ખાધો'તોઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૧૯: મોરબીના ખાનપર ગામે જયંતિભાઇની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતી મુળ મધ્‍યપ્રદેશની સુનિતા કાળુભાઇ ભીલવાલ (ઉ.વ.૧૬) નામની બાળાએ ૧૬મીએ ત્રણ દિવસ પહેલા વાડીએ ગળાફાંસો ખાઇ લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે વહેલી સવારે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સુનિતા ચાર બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પરિવારજનોના કહેવા મુજબ વાડીમાં પાણી વાળવા સહિતના કામ બાબતે તેને ભાઇ સાથે ઝઘડો થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)