Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

શિવાનંદ મિશન વીરનગર હોસ્‍પિટલ દ્વારા વિવિધ સ્‍થળે મોતિયાનાં કેમ્‍પ યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૧૯: આંખની હોસ્‍પિટલ તરીકે પ્રખ્‍યાત શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્‍ટ્રલ હોસ્‍પિટલ વીરનગર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ સ્‍થળે આંખની તપાસ તેમજ મોતિયાનાં ઓપરેશન માટેના વિનામૂલ્‍યે કેમ્‍પ યોજાશે. તા.૨૦-૪ નાં રોજ શ્રી બાઈ આશ્રમ તાલાલા ગીર, તા. ૨૨-૪ નાં રોજ શિશુ વિહાર ભાવનગર, તા.૨૩-૪ નાં ગાયત્રી શક્‍તિ મંદિર જૂનાગઢ, તા. ૨૬-૪ નાં રોજ જલારામ મંદિર પોરબંદર, તા. ૨૭-૪ નાં રોજ મહાજન પાંજરાપોળ ગૌશાળા ભાણવડ, તા.૨૮-૪નાં રોજ તાલુકા પંચાયત ક્‍વાર્ટર જેતપુર ખાતે મોતિયાના ઓપરેશન માટેની તપાસના કેમ્‍પ યોજાશે. આ તમામ સ્‍થળોએ શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્‍ટ્રલ હોસ્‍પિટલ વિરનગરની આંખની હોસ્‍પિટલના નિષ્‍ણાત તબીબોની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને સંસ્‍થા દ્વારા વિરનગર ખાતે લઈ જવામાં આવશે. જયાં વિનામૂલ્‍યે મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે તેમજ રહેવા જમવા સહિતની તમામ સુવિધા વિનામૂલ્‍યે પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે અશોકભાઈ મહેતા ૯૮૨૪૪૨૫૨૫૬ ઉપર સંપર્ક કરવા શિવાનંદ મિશન વીરનગરની યાદીમાં જણાવાયું છે.

(10:54 am IST)