Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નરેન્‍દ્રભાઇ મોદી જામનગરમાં રાજવી જામસાહેબ સાથે મુલાકાત કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ :.. જામનગરના જામસાહેબ શત્રુશલ્‍યજીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જામનગરની મુલાકાત દરમિયાન મળશે. અગાઉ પણ વડાપ્રધાન મોદી મુખ્‍યમંત્રી હતા તે સમયે જામનગરના જામસાહેબ શત્રુશલ્‍યસિંહજી સાથે મળ્‍યા હતાં. હાલ જામસાહેબની તબીયત નાદુરસ્‍ત છે છતા઼ પણ જામનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેઓને મળવા પહોંચશે અને જૂની યાદો ફરી તાજી થશે. તસ્‍વીર. (કિંજલ કારસરીયા, જામનગર)

 

(10:21 am IST)