Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

પીર સૈયદ દાદાબાપુના ભત્રીજા સૈયદ એહમદબાપુએ સાવરકુંડલાથી અજમેર શરીફ જવા રવાના થયા

કોરોના નાસ્‍તેનાબુદ થાય તેવી દુઆ માટે ખાસ ગયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા;  પીર સૈયદ દાદાબાપુ કાદરી ના ભત્રીજા પીર સૈયદ એહમદબાપુ કાદરી દ્વારા સાવરકુંડલાથી અજમેર શરીફની સફરે જવા રવાનગી થયા અજમેર શરીફમાં કોરોનો વાયરસ નસ્‍તેનાબૂદ થાય અને કોરોનાના રોગમાં સપડાયેલા દર્દી ઓ એકદમ જલ્‍દી સાજા થઈ જાય તેવી ખ્‍વાજા ગરીબ નવાજની બારગાહમાં દુઆ કરવામાં આવશે

પીર સૈયદ સરકાર અલ્‍હાઝ દાદાબાપુ કાદરીના ભત્રીજા પીર સૈયદ એહમદબાપુ કાદરી પોતાના ખાદીમો ને ખ્‍વાજા ગરીબ નવાજ અજમેર શરીફ દીદાર કરવા માટે અને ખાસ કરી ને કોરોનાની રોગ નેસ્‍તેનાબૂદ થાય અને કોરોનાના દર્દી ઓ ઝડપ થી સાજા થઈ જાય તેવી ખ્‍વાજા ગરીબે નવાજની બારગાહમાં ખાસ દુઆ કરવામાં આવશે  આ અજમેર શરીફ ની ટુર ને ગત રાત્રીના અત્રેની લીમડી ચોક ખાતે થી સુન્ની મુસ્‍લિમ જમાત ના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવ પૂર્વ પ્રમુખ  ઇરફાનભાઈ કુરેશી એ પીર સૈયદ એહમદબાપુ કાદરીનું ફૂલહારથી સન્‍માન કરી ટુર ને રવાનગી આપી હતી આ ટુર માં ગયેલ તમામ ટુરિજનો એ દાદાબાપુની દુઆ લીધી અને તેમના દીકરા પીર મુનિરબાપુ અને  દીકરા નુરાનીબાપુ ખાસ દુઆ આપી હતી.

 ગરીબ નવાજ કા દામન નહીં છોડેગે તેવા નારાઓ નાખવામાં આવેલ હતા.

(12:48 pm IST)