Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શ્રી સોમનાથ મહાદેવને જામનગરના જોગલ પરીવાર દ્વારા ૪ કિલો ચાંદી અર્પણ : પુત્રનો જન્મ થતા તુલાદાનઃ સાંજે શ્રી સોમનાથ મહાદેવને ગંગાદર્શન શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસપાટણઃ શ્રાવણના દ્વિતીય સોમવારે મહાદેવને ભસ્મશૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન શિવને પ્રીય ભસ્મનો મનમોહક શૃંગારના દર્શન કરી દર્શનાર્થીઓ  કૃતકૃત્ય થયા હતા.શ્રાવણના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવને ર૯ ધ્વજારોહણ કરવામાં આવેલ હતા. ૧૬ તત્કાલ મહાપૂજા કરવામાં આવેલ હતી. આજે ગંગા દર્શન શ્રૃંગાર કરવામાં આવશે. જામનગરના રાજેશભાઇ જોગલ પરીવારે પુત્રરત્ન માટે સોમનાથ મહાદેવની માનતા માનેલ હતી. સોમનાથ મહાદેવની આશીર્વાદથી પુત્રનો જન્મ થતા પરીવારે દોઢ માસના પુત્ર અથર્વને સોમનાથ મહાદેવના દર્શન કરાવી ચાર કિલો ચાંદીનું તુલાદાન કરી ચાંદી સોમનાથ મંદિરમાં અર્પણ કરેલ હતું. (તસ્વીરઃ અહેવાલઃ દિપક કક્કડ-મીનાક્ષી  ભાસ્કર વૈદ્ય-દેવાભાઇ રાઠોડ-વેરાવળ-પ્રભાસપાટણ)

(11:34 am IST)