Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મોરબી પરશુરામધામ દ્વારા આવેદન

મોરબી : આમ આદમી પાર્ટી નેતા ગોપાલભાઇ દ્વારા સનાતન ધર્મ અને બ્રાહ્મણો વિરુદ્ઘ કરેલ ટીપ્પણી સામે પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને પરશુરામધામ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને કાર્યવાહી કરવા માંગ કરી છે. આવેદન આપતી વેળાએ પરશુરામ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલ પંડ્યા, ભુપતભાઈ પંડ્યા, પરશુરામ યુવા ગ્રુપના નીરજ ભટ્ટ, ધ્યાનેશ રાવલ, ચિંતનભાઈ ભટ્ટ અને મુકુન્દરાય જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:50 am IST)