Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કાલે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે કબીર સાહેબ જન્‍મોત્‍સવ નિમિત્તે પૂ. જેન્‍તીરામબાપાનો સત્‍સંગ અને સંતવાણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૩ :  જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમે આવતીકાલે મંગળવારના રોજ જેઠ સુદ પુનમ કબીર સાહેબના જન્‍મોત્‍સવ નિમિત્તે રાત્રે ૯ કલાકે પૂ. જેન્‍તીરામબાપાનો સત્‍સંગ તથા સંતવાણીનું  આયોજન કરાયું છે.

જેમાં પૂ. જેન્‍તીરામ બાપા કબીર સાહેબના જીવન ચરિત્રનું સત્‍સંગ દ્વારા વર્ણન કરશે તેમજ ગુરૂબાળક મંગળ રાઠોડ સંતવાણી રજુ કરશે. આ પ્રસંગે સત્‍સંગ પ્રેમીઓએ લાભ લેવા હસમુખભાઇ શીલુએ જણાવ્‍યું છે.

(1:18 pm IST)