Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પોરબંદરમાં જયોતિબેન મસાણી (પારેખ)નું સન્‍માન

પોરબંદરઃ દશા સોરઠીયા વણિક કેન્‍દ્રીય સંસ્‍થા સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા આયોજિત ‘વોઇસ ઓફ ગુજરાત' મેગા ઇવેન્‍ટ્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું આ મેગા ઇવેન્‍ટ્‍સની શરૂઆત દીપ પ્રાગટ્‍ય સાથે પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને સ્‍વાગત પ્રવચન કરી પોરબંદર મહાજન ના પ્રમુખ  યોગેશભાઈએ કર્યું હતું. શ્રી દશા સોરઠીયા વણીક સમાજ ની દીકરી શ્રીમતી જયોતિબેન મસાણી (પારેખ)નું કેન્‍દ્રીય જ્ઞાતિ ના પ્રમુખ પરાગભાઇ શાહ ના ધર્મ પત્‍ની શ્રીમતી શાહ દ્વારા  વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જયોતિબેન મસાણી એ પોતાના શિક્ષણ અને આવડત થી ના કેવલ બંને ફૂડ ને દીપાવિય્‍યા છે પરંતુ તેમના ઓજસ્‍વી અને તેજસ્‍વી પ્રતિભા થી, આવડત અને ભણતર થી સમાજ ના ૧૮ એ  વર્ણ ની સેવા કરી અને ૧૮વર્ણ ના લોકો નું દિલ જીત્‍યું છે.સમાજ સેવામા ,ભણતર મા અને એમના સમાજ જીવન, પોલિટિકલ કારકિર્દીમા પણ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચામા મહિલા સદસ્‍ય તરીકે તેઓ  ખુબજ આગળ નામ ધરાવે છે. આ ઇવેન્‍ટ્‍સમાં સેમી ફાઇનલના અંતે આ દરેક વિજેતાને ટ્રોફી સાથે સર્ટિફિકેટ એનાયત કરી ક્રમાંનુસાર ૧૧ હજાર તેમજ ૫ હજાર રાશિ દાતાશ્રીના સહયોગથી મહાનુભાવો દ્વારા વિશેસ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આર્થિક બળ પૂરું પાડનાર દાતા ઉદ્યોગ પતિ ધીરેનભાઈ લોટીયા તેમજ કેતનભાઈ દવે સાથે અન્‍ય દાતાશ્રીનું સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું આ પ્રંસગના યજમાન બની સૌની સારસંભાર લઇ મહાજનના પ્રમુખ યોગેશભાઈ માલવિયા સાથે સમગ્ર ટિમ નું અભિવાદન કરી આભાર માનવામાં આવ્‍યો હતો કેન્‍દ્રીય સંસ્‍થાના પ્રમુખ શ્રી રમેશ ભાઈ જનાલી સાથે અન્‍ય હોદેદારો શ્રી તેમજ અલગ અલગ શહેર માંથી જ્ઞાતિ પ્રમુખશ્રીની સાથે જ્ઞાતિ શ્રેષ્‍ઠીઓ તેમજ સાંદિપની આશ્રમ ના પૂર્વ ભરતભાઈ ગઢવી ઉપસ્‍થિત રહેલ હતા.

(10:11 am IST)