Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

સુત્રાપાડા રામનવમીના પોસ્‍ટર ફાડતા ઝડપાયેલ આરોપીના પિતાને ભાજપમાં બરખાસ્‍ત કરવા માંગ

વોર્ડનં.રના સભ્‍ય તરીકે બરખાસ્‍ત નહી કરાઈ તો ભુખ હડતાલ કરાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: સુત્રાપાડામાં રામનવમીના આગલા દિવસે પોસ્‍ટ ફાળવામાં ચાર ગુનોગારોની ધરપકડ કરાયેલ હતી તેમાં એક આરોપીના પિતા નગરસેવક હોય તેને ભાજપ માંથી બરખાસ્‍ત કરવા વિશ્‍વ હીન્‍દુ  પરીષદ,બજરંગ દળે માંગ કરેલ છે તા.૧૩ સુધીમાં જો નિર્ણય લેવામાં નહી આવેતો ભુખ હડતાલ ઉપર હીન્‍દુ સંસ્‍થાઓ,ગામ લોકો બેસસે.

સુત્રાપાડા માં રામનવમી ના આગલા દિવસે બેનર ફાડી નખાતા ભારે હોબાળો મચેલ છે ર૪ કલાક માં પોલીસે ચાર આરોપી સીરાઝ યુનુસ મલેલ,સાહબુદીન યુનુસ મલેક,અરબાઝખાન રસુલખાન પઠાણ,જાહીબ ઉર્ફે માહીર જાહાગીર મલેક ની ઘરપકડ કરાયેલ હતી આ ચારઆરોપીઓમાં સાહબુદીન ના પિતા યુનુસ મલેક વોર્ડનં.ર ના નગરસેવક તરીકે ભાજપ માંથી ચુટાયેલા છે તેથી તેને તાત્‍કાલીક ભાજપ પક્ષમાં બરખાસ્‍ત કરવા અને નગરપાલિકાના નગરસેવક તરીકે રાજીનામુ લેવા વિશ્‍વ હીન્‍દુ પરીષદ,બજરંગળ સહીતની હીન્‍દુ સંસ્‍થાઓએ માંગણી કરેલ છે તા.૧૩ સુધી માં તેમને બરખાસ્‍ત કરવામાં નહી આવેતો હીન્‍દુ સંસ્‍થાઓના આગેવાનો કાર્યકરો ગામલોકો ભુખ હડતાલ ઉપર ઉતરશે તેમજ રામધુન બોલાવશે જેુથી સુત્રાપાડામાં માહોલ ગરમાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઈ પરમાર સાથે વાતચીત કરવા તેમને જણાવેલ કે બે દિવસ થી ગાંધીનગર નગર હોવ લેખીતમાં રજુઆત મળેલ નથી પણ મને જાણ થતા ભાજપના ઉચ્‍ચ હોદેદરોને તમામ બનાવ ની જાણ કરેલ છે બુધવારે સુત્રાપાડાના આગેવાનો સાથે મુલાકાત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(1:37 pm IST)