Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અમરેલી શહેર ભાજપ બક્ષી પંચ મોરચાની કારોબારીની જાહેરાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૩ : જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તથા સંગઠન પ્રભારી શ્રી ભરતભાઇ બોઘરા તથા સુરેશભાઇ ગોધાણી તથા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા તથા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઇ ભુતૈયા તથા શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા તથા અમરેલી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિશોરભાઇ આજુગીયા સાથે સંકલન કરીને અમરેલી શહેર બક્ષીપંચ મોરચા નાં કારોબારી સભ્‍યોને નિયુક્‍ત કરવામાં આવેલ છે.

અમરેલી શહેર બક્ષીપંચ મોરચો ની કારોબારીમાં જીગ્નેશભાઈ કેશુભાઈ વૈષ્‍ણવ, વિલમસિંહ જયમલસિહ ચુડાસમા હિંમતભાઈ પરષોતમભાઈ સોલંકી, મોહિતભાઈ બળવંતભાઈ ગોહિલ, નિતિનભાઈ સરવૈયા, પ્રકાશભાઈ ચૌહાણ ભીમજીભાઇ કુબાવત, ઉત્‍સવભાઈ કાંકરેચા, ભદ્રેશભાઈ ગોબરભાઈ ચાવડા, વિપુલભાઈ કનુભાઈ કાલેણા, જીતેશભાઈ મારૂ, ચંદ્રકાન્‍ત મનસુખભાઇ ટાંક, સૌ નવ નિયુક્‍ત કારોબારી સભ્‍યોનો સમાવેશ કરાયો છે. અમરેલી શહેર ભાજપ પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્‍છાઓનો સમાવેશ કરાયો છે. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી  નાથુભાઈ ધાધલ ની યાદીમાં જણાવેલ છે.

(1:32 pm IST)