Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

આપ પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ યુવરાજસિંહ સામેનો કેસ પાછો ખેચવા સાવરકુંડલામાં આપ દ્વારા આવેદન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩ : ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો માટે લડતા અને વિવિધ પરિક્ષાના પેપરફોડ કાંડને ઉજાગર કરનાર આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા ઉપાધ્‍યક્ષ અને વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાને પ્રદેશની સરકારે નિશાન બનાવી રાજકીય કિન્નાખોરી રાખીને તેમનો ગંભીર ગુન્‍હાની કલમોમાં ખોટી રીતે ફીટ કરી દીધા છે. તેમના ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપ સરકાર દ્વારા પરત ખેચવા માટે સારવકુંડલા આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારી મારફત સરકારને આવેદનપત્ર પાઠવ્‍યુ છે. અને જો કોઇ ઉકેલ નહી આવે તો વધારે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી છે. તેમ આપના શહેર મહામંત્રી અશરફ કુરેશીએ જણાવ્‍યું છ.ે

(12:57 pm IST)