Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

કાલે ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતિની ઉજવણી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગામે-ગામ શોભાયાત્રા, ભાવ વંદના, પુષ્‍પાંજલી સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૩ : ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરનગરની જન્‍મજયંતિ કાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉજવાશે. ગામે-ગામે શોભાયાત્રા, ભાવવંદના, પુષ્‍પાંજલી સહિતના કાર્યક્રમો યોજાશે.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) બંધારણના ઘડવૈયા મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્‍મ જયંતિ નિમિતે ગોંડલ શહેર તાલુકા મેઘવાળ સમાજ દ્વારા તા.૧૪ ગુરૂવારનાં મહારેલીનુ આયોજન કરાયુ છે. મહારેલી સવારે સાડા નવ કલાકે આંબેડકર નગર ભગવતપરા મેઘવાળ સમાજની વાડીએથી પ્રસ્‍થાન થઈ રાજમાર્ગો પર ફરી કડીયાલાઇન ખટારા સ્‍ટેન્‍ડ ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે પંહોચી ભાવવંદના કરાશે. મહારેલીમાં શહેર તાલુકા ના મેઘવાળ પરિવાર બહોળી સંખ્‍યામાં જોડાશે તેમ ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્‍સવ સમીતીના મહેન્‍દ્રભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું છે.

 

(12:04 pm IST)