Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ભાવનગરમાં સી.આર.પાટીલની સુખડી તુલા યોજાશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગર ખાતે વિભાવરીબેન દવે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરતા હોયᅠ છે ભાવનગરના MLA ગ્રાન્‍ટમાં થી થયેલા કામો નું લોકાર્પણ કરવા સી.આર. પાટીલᅠ આ અઠવાડિયામાં આવે છેᅠ ત્‍યારે પોષણ અભિયાન અંતર્ગત પાટીલની સુખડી તુલા થનાર છે આ સુખડી કુપોષિત બાળકો ને માટે અપાશે.

સી.આર.પાટીલજી ગુજરાતને કુપોષણમાંથી મુક્‍ત કરવા અભિયાન ચલાવે છે તે ધ્‍યાને રાખી ભાવનગરના ધારાસભ્‍ય એ વિશિષ્ટ આયોજન કરેલું છે.

સામાન્‍ય રીતે પાટીલᅠની કે અન્‍ય મહાનુભાવોની સુવર્ણતુલા રજતતુલા રક્‍તતુલા સાકરતુલા તો થાય છે પણ સુખડી તુલા પહેલીવાર થનાર છે અને એ સુખડી પણ ભાવનગરના કુપોષિત બાળકોને અપાશે.

આ ઉપરાંત કાર્યક્રમમાં ભાજપ શહેર સંગઠન દ્વારા કુપોષિત બાળકોને દત્તક લેવાની વ્‍યવસ્‍થા પણ હાથ ધરાઈ રહી છે ભાવનગરના ઓછા વજનવાળા (કુપોષિત) બાળકોને દત્તક લેવાશે અને તેને કુપોષણમાંથી બહાર લાવવા ભાવનગરના શ્રેષ્ઠીઓ આગળ આવશે

(12:01 pm IST)