Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

વિંછીયાના એસ્‍ટ્રોસીટીના ગુનામાં આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરતી રાજકોટની નામદાર સેશન્‍સ કોર્ટ

જસદણ-આટકોટ,તા. ૧૩: રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ગુંદાળા ગામમાં રહેતા ફરિયાદી મગનભાઈ પરમાર સાથે આ જ ગામનાᅠ શક્‍તિભાઈ જેજરીયા અને જયસુખભાઇ કટેશીયા સાથે ઝદ્યડો થયેલ અને બનાવની ઘટના આધારિત વિછીયા પોલીસ સ્‍ટેશનમાં સામાવાળા સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૧૦,૧૧૪ તથા એટ્રોસીટી એક્‍ટ કલમ ૩ (૧) (આર) એસ, ૩ (૨), (૫-એ) તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયેલ.
જે ગુના આધારિત પોલીસ કાર્યવાહી બાદ રાજકોટ નામદાર સેશન્‍સ કોર્ટમાં ચાર્જશીટ રજુ થતા આરોપીઓના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવેલ અને રાજકોટની નામદાર સેશન્‍સ કોર્ટ દ્વારા એટ્રોસીટીના ગુનામાં નોંધાયેલ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ. આમ આરોપીઓ તરફે રાજકોટની નામદાર સેશન્‍સ કોર્ટેમાં રાજકોટ જિલ્લાના જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.

 

(12:10 pm IST)