Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

કાલે કોવાયામાં પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને આયોજીત કથામાં ભૂપેન્‍દ્રભાઇ પટેલ હાજરી આપશે

રાજુલા-અમરેલી,તા. ૧૩: કાલે તા. ૧૪ એપ્રિલના અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને આયોજીત શિવકથામાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ હાજરી આપનાર છે.
મુખ્‍યમંત્રીશ્રીનું ૧૪ એપ્રિલના સવારે ૧૧:૩૦ પીપાવાવ હેલીપેડ ખાતે આગમન થશે. ત્‍યારબાદ કોવાયા ખાતે શિવકથામાં હાજરી આપી ૧૨:૩૦ કલાકે ગાંધીનગર પરત ફરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્‍યમંત્રીશ્રીની મુલાકાતે લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે

 

(12:09 pm IST)