Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મીઠાપુરમાં કાલે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મજયંતી નિમિતે અનેક કાર્યક્રમો

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા.૧૩ : ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્‍મજયંતી નિમિતે કાલે કાર્યક્રમો યોજાનાર છે. આગામી સવારે ૯ વાગ્‍યાથી સાંજે પ વાગ્‍યા સુધી ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્‍યુનીટી હોલ કે જે પોલીસ સ્‍ટેશનની પાછળ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ રકતદાન શિબિરમાં શ્રી સરસ્‍વતી બ્‍લડ બેંક જામનગરના સ્‍ટાફ દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવશે. આજે રાત્રે૯ કલાકે ભવ્‍ય ભીમ ભજનનો કાર્યક્રમ આંબેડકર સોસાયટી આરંભડા ખાતે રાખવામાં આવ્‍યો છે.

શોભનાબેન દાફડા તથા ચંદ્રેશભાઇ પરમાર તથા ચંદ્રેશભાઇ પરમાર તથા સાથી કલાકાર દ્વારા ક્રિષ્‍ના સાઉન્‍ડના સથવારે ભીમભજનોનો રસથાળ પીરસવામાં આવશે.

કાલે જન્‍મજયંતીના દિવસે સાંજે પ વાગ્‍યે એક મહા રેલી યોજાનાર છે. આ રેલી ડો.બાબા સાહેબ આંબેડકર સોસાયટીથી રામદેવપીર મંદિર સુરજ કરાડીના રાજમાર્ગો પર થઇ મીઠાપુર ચાર રસ્‍તા પરથી પસાર થઇ ઝંડા ચોક પહોંચી અને રેલીનું સમાપન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોનામહામારીને કારણે કોઇ જ પ્રકારના આયોજનો ના કરી શકાયા હોય આ વર્ષે આયોજનકારોમાં પણ ભારે ઉત્‍સાહ જોવા મળી રહયો છે. ડો.બાબા સાહેબ આંબેડકરન જન્‍મજયંતીની શોભાયાત્રામાં કોઇ પણ પાર્ટીના હોદેદારો પાર્ટીના ખેસ પહેરીને ના આવવું એમ ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતી મહોત્‍સવ સમિતિની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(11:30 am IST)