Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અંજારમાં રામદેવપીર મંદિરના પાટોત્‍સવમાં સશષા ધીંગાણું : ટામી અને ધોકા ઉલળતા ૮ને ઇજા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : અંજારમાં નગરપાલિકા કચેરી સામે રામદેવપીર મંદિરના પાટોત્‍સવમાં એક જ સમુદાયના બે જૂથ વચ્‍ચે સશષા ધીંગાણું થયું હતું. આંખો કાઢવા જેવા સામાન્‍ય મુદ્દે બોલચાલ અને મારામારી થઈ હતી. જેમાં ધોકા, પાઈપ અને ટામી ઉલળતા બન્ને પક્ષના ૮ જણાને ઈજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે.
આ બાબતે ધર્મેન્‍દ્ર શામજી રાઠોડે આરોપી રાહુલ ધુવા સહિત ૧૬ જણા સામે ફરિયાદ કરી છે. સામે પક્ષે બબીબેન રામજી ધુવાએ ધર્મેન્‍દ્ર શામજી રાઠોડ સહિત ૧૩ જણા સામે પોલીસ ફરિયાદ કરી છે. બન્ને પક્ષોએ સામસામે હુમલાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:10 pm IST)