Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

કાલાવડના શિશાંગમાં શુક્રવારે બગથરીયા પરિવાર દ્વારા યજ્ઞ

રાજકોટ,તા. ૧૩ : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના શિશાંગ ગામે બગથરીયા પરિવારના સુરાપુરા શ્રી જેઠાબાપાના સ્‍થાનકે તા. ૧૫ને શુક્રવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

જે અંતર્ગત તા. ૧૫ને શુક્રવારે સવારે ૭ વાગ્‍યે હેમાદ્રી, સુરાપુરાદાદાનું પૂજન-અર્ચન સવારે ૯ વાગ્‍યે તથા હવન યજ્ઞ સવારે શુભ ચોઘડીયે યોજાશે. સવારે ૧૦ વાગ્‍યે ધ્‍વજારોહણ તથા બીડુ હોમવાનું શુભમુહૂર્ત શુભ ચોઘડીયે હોમાશે. નૈવેદ્ય તથા મહાપ્રસાદ બપોરે ૧૨ વાગ્‍યે કરવામાં આવશે.

યજ્ઞનાં મુખ્‍ય યજમાન ભરતભાઇ ગોરધનભાઇ બગથરીયા (જામનગર) સહ યજમાન પ્રકાશભાઇ દુર્લભભાઇ બગથરીયા (જૂનાગઢ) ભરતભાઇ છગનભાઇ બગથરીયા (રાજકોટ), શૈલેષભાઇ નાનજીભાઇ બગથરીયા (જામનગર) છે.

યજ્ઞમાં ભોજન પ્રસાદમાં વિવિધ દાતાઓનો સહયોગ પ્રાપ્‍ત થયો છે. વધુ વિગત માટે જીવનભાઇ નાગજીભાઇ બગથરીયા કાલાવડ-શિતલાના મો. ૯૭૨૭૪ ૩૭૧૧૦ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(12:18 pm IST)