Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જસદણનાં સમાજસેવક વિનુભાઇ ગલચરની શ્રધ્‍ધાંજલી સભા યોજાઇ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૩: અમરાપુર ગામના વતની નિવૃત તલાટી મંત્રી વિનુભાઈ ગલચરનું તાજેતરમાં અવસાન થતાં તેમણે અંજલી આપવા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. તેમનું જીવન હંમેશા સમાજ ઉપયોગી કાર્યો અને સમાજના પ્રસંગોમાં દાન આપવામાં અગ્રેસર રહેતા વિનુભાઈ ગલચરની ચિરવિદાય થી કદીયે ન પૂરાય એવી ખોટ રહે છે. એમનું નિખાલસ જીવન, સત્‍કાર્યો,શ્રેષ્ઠ સમાજનું ઘટતર કરવા સતત પ્રયત્‍નશીલ ,સમાજવાડીમાં મહત્‍વનું દાન અને સેવાકીય પ્રવૃતિઓ હંમેશા સમાજના યુવાનોને પ્રેરણા રૂપ બની રહેશે. સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં છોડી ગયા તેમ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી કરુણાનંદ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, જસદણની યાદી જણાવે છે.

(10:25 am IST)