Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ગોંડલ મુકેતેશ્વર સેવા ટ્રસ્‍ટને શાંતિ રથ અર્પણઃ

ગોંડલ :  મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટ દ્વારા સ્‍મશાન સેવા, એમ્‍બ્‍યુલન્‍સ સેવા, અંતિમ શાંતિ રથ જેવી અનેકો સેવા ઉપરાંત કોરોના કાળ દરમિયાન ઓક્‍સિજનᅠ સિલિન્‍ડર અને મેડિકલ સાધન સામગ્રીઓને સેવા કરવામાં આવી રહી છે નગરપાલિકા તંત્ર દ્વારા પાલિકાનો શાંતિ રથᅠ મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટને ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી જયોતિરાદિત્‍ય સિંહ (ગણેશભાઈ) જાડેજાના હસ્‍તે મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટનેᅠ અર્પણ કરવામાં આવ્‍યો હતો નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, ઋષિરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ પીપળીયા અશ્વિનભાઈ પાંચાણી, રાજુભાઈ ધાના તેમજ અરવિંદભાઈ ભાલાળા સહીતનાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શાંતિરથ અર્પણની તસ્‍વીર.

(12:19 pm IST)