Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

RSSના સુપ્રીમો મોહન ભાગવતજી સોમવારે સાસણમાં

તારીખ ૧૭ એપ્રિલથી ર૧ એપ્રિલ દરમ્‍યાન પુર્ણકાલિન પ્રચારકોના વર્ગને માર્ગદર્શન આપશેઃ ABVP તથા સંઘના રાષ્‍ટ્રીય કક્ષાના અન્‍ય અધિકારીઓ પણ જોડાશે

રાજકોટ તા. ૧ર :.. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં (આરએસએસ) સરસંઘ ચાલક અને સુપ્રીમો શ્રી મોહન ભાગવતજી સોમવાર તારીખ ૧૮ એપ્રિલના રોજ જુનાગઢ જીલ્લાના સાસણ (ગીર) ખાતે એક માર્ગદર્શન કેમ્‍પમાં આવી રહ્યાનું જાણવા મળે છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (ABVP) ના અભ્‍યાસ વર્ગ (પુર્ણકાલિન પ્રચારકોનો વર્ગ) બે થી ત્રણ દિવસ દરમ્‍યાન શ્રી મોહન ભાગવતજી ગ્રાઉન્‍ડ લેવલનું માર્ગદર્શન આપશે. તેવો કાર્યક્રમ પ્રથમ તબકકે નકકી થયાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શ્રી ભાગવતજી સાથે એબીવીપી તથા સંઘના રાષ્‍ટ્રીય કક્ષાના અન્‍ય અધિકારીઓ પણ જોડાશે. તેવું આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે. સાસણ(ગીર)ના સાવજ જેવા એક રીસોર્ટ ખાતે ABVP ના  હોદેદારો તથા સક્રિય કાર્યકરો દ્વારા તડામાર તૈયારી  પણ શરૂ કરી દીધાનું જાણવા મળે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તારીખ ૧૭ થી ર૧ એપ્રિલ, ર૦રર દરમ્‍યાન યોજાનારા આ પુર્ણકાલિન અભ્‍યાસવર્ગ દરમ્‍યાન રાષ્‍ટ્રીય સમસ્‍યાઓ અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો લોક કલ્‍યાણ, વિદ્યાર્થીહિત રાષ્‍ટ્રભાવના વિગેરે સંદર્ભે વિસ્‍તૃત ચર્ચા-વિચારણા થવાની ધારણા છે.

 

(3:37 pm IST)