Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

16 ઓકટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલશે

16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ચોમાસું તેમજ મેટીંગ પીરિયડ હોવાના કારણે અભ્યારણ્ય ચાર મહિનાથી બંધ હતું

જૂનાગઢ :  પ્રવાસ પ્રેમીઓ માટે જૂનાગઢથી સારા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ગીર અભ્યારણ્ય બંધ હતું, તે હવે ફરીથી ખુલ્લું મુકાશે.16 ઓકટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલશે. પ્રવાસ પ્રેમી જનતા હવે ગીરની મુલાકાત લઇ શકાશે.

 16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હતું. ચોમાસું તેમજ મેટીંગ પીરિયડ હોવાના કારણે અભ્યારણ્ય ચાર મહિનાથી બંધ હતું. પરંતુ હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. હાલની વાત કરીએ તો હાલ તમામ ઓનલાઇન બુકીંગ ફૂલ છે. કોરોનાની ગાઇડલાઇન અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

(8:42 pm IST)