Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

19મીએ રાજકોટ જિલ્લામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રા : જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે

શાપર ,ગોંડલ વિરપુર ખોડલધામ જેતપુર ઉપલેટા ધોરાજી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું કરાશે સન્માન : જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી :ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા ખાતે કાર્યકર્તાઓની બેઠક :જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનસુખભાઈ રામાણી મહામંત્રી મનીષભાઈ ચાંગેલા પ્રદેશ કારોબારી સદસ્ય દિનેશભાઈ અમૃતિયા સહિત ટીમ જિલ્લાનાં પ્રવાસે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ગુજરાતના પનોતા પુત્ર મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રની અંદર કેબિનેટ કક્ષાનો સ્થાન આપી કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે મોદી સરકારે નિયુક્ત કરતા તેમનો ગુજરાતમાં પ્રવેશ ની સાથે જન આશીર્વાદ યાત્રા રાજકોટ જિલ્લામાં તારીખ 19 ને ગુરુવારના રોજ પ્રવેશ કરતા હોય ત્યારે રાજકોટ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા જિલ્લાના વિવિધ શહેરોમાં અને ગામોમાં વિવિધ સમાજો દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સત્કાર સમારંભ યોજાશે જે અંગે જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીનો પ્રારંભ કરી દીધો છે
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનસુખભાઈ રામાણી મહામંત્રી મનીષભાઈ ચાંગેલા તેમજ દિનેશભાઈ અમૃતિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા રાજકોટ જિલ્લાનાં પ્રવાસે નીકળ્યા છે તારીખ 19 ને ગુરુવારના રોજ જન આશીર્વાદ યાત્રા રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરવાની હોય જેમાં ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતનેતા મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા કેબિનેટ કક્ષાનું સ્થાન આપી ભારત સરકારના આરોગ્ય મંત્રી તરીકે નિયુક્તિ કરતા  ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા નીકળી રહી છે જેના ભાગરૂપે સમગ્ર રાજકોટ જિલ્લાના શાપર ગોંડલ વિરપુર ખોડલધામ જેતપુર ઉપલેટા અને ધોરાજી ખાતે ભવ્ય મનસુખભાઈ માંડવીયા નું સ્વાગત સાથે સન્માન સમારંભ યોજાશે
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત કેન્દ્રીય કેબિનેટ કક્ષાના મંત્રી અને ભારતના આરોગ્ય મંત્રી બનતા પ્રથમ વખત મનસુખભાઈ માંડવીયા રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરતા હોય ત્યારે રાજકોટ શહેરની બાજુમાં ગોંડલ ચોકડી ખાતે સવારે 9:30 કલાકે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનો સ્વાગત કરવામાં આવશે સાથે સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવશે બાદ ત્યાંથી ગોંડલ પ્રવેશ કરાવવામાં આવશે માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સન્માન સમારંભ રાખવામાં આવશે ગોંડલ થી વિરપુર જલારામ બાપાના દર્શને માટે જશે અને વિરપુર થી ખોડલધામ માં ખોડલ ના દર્શન કરશે અને ત્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા નું રજતતુલા થી સન્માન કરવામાં આવશે બાદ જેતપુર ખાતે લેવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે ત્યાંથી બપોરે ઉપલેટા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે અને ત્યાંથી સાંજે 7:00 ધોરાજી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે ભવ્ય સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે
આ સાથે રાજકોટ જિલ્લામાં શાપર ગોંડલ વિરપુર ખોડલધામ જેતપુર ઉપલેટા અને ધોરાજી ખાતે વિવિધ સંસ્થાઓના આગેવાનો ડોક્ટર એસોસિયન વિવિધ એસોસીએશન તેમજ શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે બેઠક થશે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવશે
બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય દિનેશ ભાઈ અમૃતિયા પ્રદેશ કારોબારી સદસ્ય વી ડી પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપીયા રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલિયા કાર્યલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઈ પનારા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી મુક્તાબેન વઘાસિયા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ મકાતી તાલુકા મહામંત્રી રાજુભાઈ ડાંગર તાલુકા મહામંત્રીશ્રી જનકસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ
ઉપલેટા  શહેર ભાજપમાં કિરીટભાઈ પાદરીયા  દાનભાઈ ચંદ્રવાડીયા હરિભાઈ હરભોલે મયુરભાઈ સુવા નરસિંહભાઈ મુગલપુરા રાજાભાઈ સુવા રાજસીભાઈ હૂંબલ મંજુલાબેન માકડીયા રામભાઇ ચાવડા સંજયભાઈ માકડીયા ગ્રહો ધોરાજી ઉપલેટા ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તારીખ 19 ને ગુરુવારના રોજ જન આશીર્વાદ રેલીને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લા ભાજપની ટીમ જહેમત ઉઠાવી રહી છે

(7:18 pm IST)