Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કૃષિ સંશોધન પુરસ્કાર મેળવનાર ખેડૂતનું વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સન્માન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. તાલુકાના પીપળીયારાજ ગામના ખેડૂતે કૃષી સંશોધન કરી હળદળની ખેતી કરી મબલખ પાક મેળવી અન્ય ખેડૂતો ને નવો રાહ ચીંધી પ્રસન્નીય કાર્ય કરી વાંકાનેર તાલુકાનું નામ રાજય સરકારશ્રીના કૃષિ સંશોધન વિભાગમાં રોશન કરનાર ખેડૂતનું વાંકાનેર માર્કેટીંગ યાર્ડના હોદેદારોએ સન્માન પત્ર આપી શાલ ઓઢાડી તેને બીરદાવ્યા હતાં.

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના ખેડૂત અમીભાઇ આહમદભાઇ કડીવાર અને તેમના પુત્ર મોહંમદ અફઝલ અમીભાઇ કડીવાર દ્વારા નવી પધ્ધતી અપનાવી પોતાના ખેતરમાં મરી-મસાલામાં ઉત્પાદન ના ભાગરૂપે થોડા વર્ષથી હળદળની ખેતી કરેલ તેમાં તેઓ મબલખ પાક મેળવવામાં સફળ થતા અને ખેડૂતોને નવો રાહ ચીંધનાર અમીભાઇ આહમદભાઇ કડીવારનું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા 'સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર. (વર્ષ ર૦ર૧-ર૧)નો અર્પણ કરી કૃષિ વિભાગ દ્વારા તેમનું સન્માન થયેલ.

આ ખેડૂત વાંકાનેરનું ગૌરવ વધારનાર હોય તેમનું સન્માન વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન શકીલભાઇ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી, યાર્ડના સેક્રેટરી ચૌધરીભાઇ, ડીરેકટરશ્રી અલીભાઇ બાદી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોહેલભાઇ સહિતના એ શાલ ઓઢાડી સન્માન પત્ર આપી તેમને બીરદાવ્યા હતાં.

(10:19 am IST)