Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોરબી મચ્છુ-૨ ના કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા ખેડૂતોનું આવેદન.

મોરબી :  હાલની પરિસ્થિતિ મુજબ થોડા દિવસ માટે વરસાદની શક્યતા ન હોવાથી મોરબી મચ્છુ-૨ સિંચાઇ વિભાગમાં મોરબી તાલુકાના ખેવાળીયા, નાની વાવડી, માનસર, બગથળા, વનાળિયા, જેપુર, બરવાળા તથા ગોરખીજડિયાના સરપંચો સાથે મળી ખેડૂતો માટે પાણી છોડવા આવેદન અપાયું હતું.
આવેદનમાં જણાવાયું જણાવાયા મુજબ વરસાદની ખૂબ ખેચ હોવાથી વાવણી કરેલા પાકને ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે તો આવતા અઠવાડિયામાં મચ્છુ-2 સિંચાઇ વિભાગના કમાન્ડ દ્વારા મોરબી તાલુકામાં આવતા તમામ ગામમાં કેનાલથી પિયત માટે બેથી ત્રણ પહાણનું પાણી પૂરું પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે.

(10:53 pm IST)