૧૯૭૧ના ભારત-પાકિસ્તાનની એતિહાસીક જીતને ૫૦ વર્ષે પુરા થાય છે. એતિહાસીક જીતના ૫૦માં વષૅને ભારત સરકારે સ્વર્ણીમ વિજય વર્ષે તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જેના અનુસંધાને ભારત-પાકિસ્તાનના એતિહાસીક યુધ્ધમાં શહીદ થયેલાઓને જન્મ સ્થળે સાઉથેંન નેવલ કમાન્ડના ઓફિસરો વિજય મશાલ અને કળશ લઈત્તે જાય છે. અને તેના જન્મ સ્થળની માટી કળશમાં એકઠી કરે છે. અને આ માટી દીલ્હીમાં આકાર લઈ રહેલા વોર મેમોરીયલમાં અપૅણ કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આજે મોઢવાડા ગામે ભારત-પાકિસ્તાનના યઘ્ધમાં શહીદ થયેલા મોઢવાડા ગામના પનોતા પુત્ર સેકન્ડ લેફટન્ટ નાગાર્જુન સીસોદીયાના નિવાસ સ્થાને સાઉથૅન નેવલ કમાન્ડના લેફ કનૅલ સંતોષ ચૌધરી , નેવલ ઓફીસરો અને નેવલ સોલ્જરોની ટીમ વિજય મશાલ અને કળશ લઈને આવ્યા હતા. અને શહીદ નાગાર્જુન સીસોદીયા જન્મ સ્થળેથી માટી કળશમાં લીધી હતી. અને નાગાર્જુન સીસોદીયાને ભાવપુણે શ્રધ્ધાંજલી અપણે કરી હતી.
૧૯૭૧નું ભારત-પાકિસ્તાનનું યૃઘ્ધ તત્કાલીન વડાપ્રધાન ઈદિરાગાંધીની આગેવાની નીચે લડાયં હત્. ૯૩૦૦૦ યુઘ્ધ કેદીઓ શરણે થયા હતા. પાકિસ્તાનના બે કટકા કરી નાખ્યા હતા. પશ્વિમ પાકિસ્તાન અને પુવૅ પાકિસ્તાન મળીને પાકિસ્તાન બન્યં હતું આ એતિહાસીક યુધ્ધ દરમ્યાન પુર્વે પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હત્. આ રીતે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના એતિહાસીક યુઘ્ધ થી એશિયાની ભગોળ બદલી ગઈ હતી.
આ યુધ્ધ એતિહાસીક યુધ્ધમાં શહીદ થયેલા નાગાર્જુન સીસોદીયા ઇન્ડીયન મીલટ્ટી સર્વીસની પરીક્ષા પાસ કરીને બે મહીના પહેલા ગુરખા રેજીમેન્ટમાં કમીશન્ડ ઓકીસર તરીકે જોડાયા હતા. મીલટ્રીની મહત્વની પાંખ ઈન્ટેલીજન્સ વીંગમાં તેવી તેની ડયુટી હતી. અને ફરજના ભાગ રૂપે દુશ્મન દેશની મહત્વની માહિતી પાકિસ્તાનમાં લઈને ભારતમા પ્રવેશતો હતો એ દરમ્યાન છામ્બ મોરચે દુશ્મનોની ગોળી થી વિધાઈને ગૌરવપણે રીતે શહીદ થયા હતા.
આજે સવારે ૧૦ વાગ્યે જયારે નામાર્જુન સીસોદીયાના નિવાસ સ્થાને સાઉથન નેવલ કમાન્ડા લેફ કર્નેલ, કેપ્ટન, સુબેદારો અને નેવલ ટપ જયારે વિજય મશાલ અને કળશ સાથે પ્રવેશ કર્યો ત્યારે સમસ્ત મોઢવાડા ગામના ગ્રામજનોઅે દેશ ભકિતથી તરબોળ થઇને ભવ્ય સન્માન કર્યુ હતું.
સ્વાગત પ્રવચન શહીદ નાગાર્જુન સીસોદીયા સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામદેવભાઇ મોઢવાડીયાઅે કર્યુ હતું. શહિદ નાગાર્જુન સીસોદીયાના નાનાભાઇ દેવશીભાઇ સીસોદીયા, સંદીપ દેવશીભાઇ સીસોદીયાનું નેવીના અધિકારીઓઅે ભાવપૂર્ણ રીતે સન્માન કર્યુ હતું. લેફ કર્નલ શ્રી સંતોષ ચૌધરીઅે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. સમસ્ત ગામના સરપંચશ્રી જયમલભાઇ મોઢવાડીયા, ગામના આગેવાનો, લાખણશી નાગાભાઇ મોઢવાડીયા, મંડળીના પ્રમુખશ્રી વિજયભાઇ મોઢવાડીયા, લીરબાઇ સમાજના ટ્રસ્ટીઓ રાજશીભાઇ મોઢવાડીયા, પોલાભાઇ મોઢવાડીયા, ભીમાભાઇ મોઢવાડીયા (પ્રમુખ), લાખાભાઇ દેવાભાઇ મોઢવાડીયા, પરબતભાઇ મોઢવાડીયા, માંડણભાઇ મોઢવાડીયા, વિક્રમભાઇ મોઢ વાડીયા, અરજનભાઇ મોઢવાડીયા સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
સ્વાગત પ્રવચન શહિદ નાગાર્જુન સૌસશોદીયા સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી શમઇેવ(માઈ મોહવાડીયાએ કર્યું પત્, શહીદ નાગાર્જેન સીસોદીયાતા નાનાભાઈ દેવશીભાઈ સૌસો(પા , સંદીપ દેવશીભાઈ સીસોદીયાનું નેવીના અધિકારીઓએ ભાલપૂ્ણે રીતે સન્માન કર્પું હતું, લેહ કર્નેલા શ્રી સંતોખ ચૌધરીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતુ, સમસ્ત ગામખા સરપંથક્રી જયમલભાઈ મોઢવાડીયા , ગામના આગેવાતો લાખણશી નાગાભાઈ પોહવાડીયા , મંડળીના પ્રમુખશ્રી વિજયભાઈ મોઢવાડીયા , ભૌરબાઈ સમાજના ટ્સ્ટીઓ રાજશીભાઈ મોઢવાડીયા , પોલાભાઈ મોઢવાડીયા , ભીમાભાઈ મોઢવાડીયા (પ્રમુખ) , લાખાભાઈ દેવાભાઈ મોઢવાડીયા , પરબતભાઈ મોઢવાડીયા , માંડણભાઈ મોઢવાડીયા , માલદેભાઈ મોઢવાડીયા , વિક્રમભાઈ મોઢ વાડીયા , અરજનભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.