Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ગોંડલ સંપ્રદાયના પૂ.રૂપલબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના ભત્રીજી અને પૂ.મુકત-લીલમ-ભારતીજી મ.સ.ના શિષ્યા એવં પૂ.હસુમુનિના આજ્ઞાનુવર્તી પૂ.રૂપલભાઇ મ.સ.૬૩ વર્ષની વયે ૪૧ વર્ષના દીક્ષા પર્યાય સહિત આજે તા.૧૦ના બપોરે ૨:૧૫ કલાકે શ્રીમતી માલિનીબેન કિશોરભાઇ સંઘવી - વૈયાવચ્ય કેન્દ્ર ખાતે પૂ.સુધાબાઇ મ.સ. આદિની વૈયાવચ્ચ પામતાં કાળધર્મ પામ્યા છે.

પાલખીયાત્રા સાંજે ૫ કલાકે શ્રીમતી કડવીબાઇ શામજી વિરાણી-જૈન ઉપાશ્રય, રેલ્વે સ્ટેશન સામે, વિલેપારલે (પશ્ચિમ)  ખાતેથી નીકળી હતી.

પૂ.મહાસતીજીના પિતા હરિલાલ માધવજી રૈયાણી અને માતા લલિતાબેન તેમજ વસઇમાં વિ.સં. ૨૦૩૬ના વૈશાખ સુદ દશમના દીક્ષા અંગીકાર કરેલ.

(3:02 pm IST)