Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

અમરેલી કૈલાસમુકિતધામ ખાતે 'રિધ્ધિ દ્વાર'નું કરાયેલ લોકાર્પણ

અમરેલી : શહેરના કૈલાસ મુકિતધામ ખાતે શ્રાવણમાસના પ્રથમ સોમવારે  મૂળ અમરેલીના સ્વ. બાબુભાઈ ભગવાનભાઈ કાબરીયા પરિવારના ધીરુભાઈ બાબુભાઈ કાબરીયા અને તેમના ધર્મપત્નિ ઉષાબેન ધીરૂભાઈ કાબરીયાની એકની એક વ્હાલસોય દિકરી રિઘ્ધીનું તા. ર૬/૧૦/ર૦૧૯ના આકસ્મિક અવસાન બાદ તેની સ્મૃતિમાં કેરીયારોડ બાયપાસે આવેલા કૈલાસમુકિતધામ ખાતે તૈયાર કરાયેલ 'રિઘ્ધિ દ્વાર' નું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતશ્રી સાધુચરિત સ્વામી તથા નિર્ર્વિધજીવન સ્વામીના વરદ્યહસ્તે લોકાર્પણ કરવામાં આવતા સ્વર્ગસ્થ રિઘ્ધિ ને કાબરીયા પરિવાર દ્વારા સાચી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ તકે શ્રી ધીરૂભાઈ ના મોટા બહેન દામનગર સ્થિત ઈન્દુબેન,  મોટાભાઈ રમેશભાઈ તથા સંદિપભાઈ અને પરિવારજનો ઉપસ્થિત રહેલ હતા. આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ  તુષારભાઈ જોષી, યુવા ભાજપ પ્રમુખ મનિષભાઈ સંઘાણી, લાયન્સ કલબ ના ડિસ્ટ્રીકટ ગર્વનર લાયન વસંતભાઈ મોવલીયા, શહેરની નામાંકિત શિતલ આઈસ્ક્રીમના માલિક ભૂપતભાઈ ભુવા, નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા, સુરેશભાઈ શેખવા, ચિરાગભાઈ ત્રિવેદી, ભરતભાઈ કાબરીયા, ગોવિંદભાઈ કાબરીયા સહિતના અગ્રણીઓ તેમજ કૈલાસમુકિતધામ કમીટીના પ્રમુખ મગનભાઈ નાનજીભાઈ કાબરીયા તથા કમીટીના સર્વે સભ્યો ઉપસ્થિત રહેલ હતા.(

(1:06 pm IST)